પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત ખેતી વાડી વિભાગ દ્વારા રાધનપુર ખાતે પીડારીયા હોલ ખાતે યોજાયેલ

રાધનપુર,

        પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ પિડારીયા હોલ ખાતે આજરોજ પાટણ જિલ્લાના ખેતી વાડી વિભાગ દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના હેઠળ મળતા ખેડુતો લક્ષી યોજના હેઠળ ના લાભ લેવા માટે ખેડૂતો ને સમજાણ આપવામાં આવેલ. સાત પગલા અંતર્ગત ગુજરાત ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી નૂ સંબોધન ખેડૂતો ને બતાવવામાં આવ્યું હતું. સાત પગલા ના કાયૅકમ મા પાટણ જિલ્લાના સંસદસભ્ય ભરતભાઈ ડાભી મુખ્ય મેહમાન તરીકે ગેર હાજર રહ્યા હતા, ત્યારે રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પણ ગેર હાજર રહ્યા હતા.  ખેડૂતો લક્ષી વાતો કરતા રાજકીય નેતાઓ ની ગેરહાજરી જોવા મળી હતી, 

આ કાયૅકમ માં માન લખમણભાઇ પટણી ચેરમેન ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ હાજર રહ્યા હતા. રાધનપુર ના પુવૅ ધારાસભ્ય  લવેગજી સોલંકી અને રાધનપુર માર્કેટયાર્ડના ચેરમેન અમથાભાઈ ચોધરી તાલુકા પંચાયત ના પ્રમુખ લવજીભાઈ ઠાકોર અને ખેતી વાડી વિભાગ ના અધિકારી હાજર રહ્યા હતા, 

ખેડૂતો ને પાટણ જિલ્લાના 3907 લાભાર્થી ને લાભ કિશાનપરિવાહન યોજના હેઠળ લાભ લીધો. સાત પગલા કાયૅ કમ નુ સુદર આયોજન ચતુર દાન ગઢવી એ કરેલ લોકો ને ખેડૂતો ને સરકાર દ્વારા અપાતા લાભ લેવા સમજણ આપી હતી. 

રિપોર્ટર : બાબુભાઈ પરમાર, રાધનપૂર

Related posts

Leave a Comment